છત્તીસગઢમાં મતદાન પહેલા એન્કાઉન્ટર: નક્સલીઓના ટોપ કમાન્ડર સહિત 18નાં મોત
- 16 Apr, 2024
દેશમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. એવામાં ચૂંટણી પહેલા છત્તીસગઢના કાંકેરમાં એન્કાઉન્ટર થયું છે. પોલીસ અને નકસલીઓની વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. છોટે બેઠિયાના માડ વિસ્તારમાં એન્કાઉન્ટર ચાલુ છે. ઘાયલ જવાનોને જંગલમાંથી કાઢવા માટે વધારાની ફોર્સને મોકલવામાં આવી છે.
એન્કાઉન્ટરમાં નક્સલી કમાન્ડર શંકર રાવનું પણ મૃત્યુ થયું છે. અત્યાર સુધીમાં 18 લાશ મળી ચુકી છે. આ ઉપરાંત ઓટોમેટિક રાઈફલો પણ જપ્ત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, 3 જેટલા પોલીસ કર્મચારીઓ આ એન્કાઉન્ટરમાં ઘાયલ થયા છે.
SP કલ્યાણ અલિસેલાએ પુષ્ટિ કરી છે કે એન્કાઉન્ટરમાં 18 નકસલીઓ ઠાર થયા છે. તેમણે જણાવ્યું કે ટોપ નક્સલી કમાન્ડર શંકર રાવ પણ તેમા ઠાર થયો છે. શંકર રાવ પર 28 લાખનું ઈનામ હતું. 7 AK47 રાઈફલની સાથે 1 ઈંસાસ રાયફલ અને 3LMG પણ જપ્ત થઈ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ